અમદાવાદ
વિકિપીડિયા થી
આ લેખ અમદાવાદ શહેર નો છે. અમદાવાદ આ શહેરને સમાવતા જીલ્લાનું નામ પણ છે.
અમદાવાદ | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - અમદાવાદ |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર - ઉંચાઇ |
૧,૩૦૦ km² - (174 ft) ૫૩ m |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી(૨૦૦૬) - ગીચતા - મેટ્રો વિસ્તાર (૨૦૦૬) |
૩,૭૬૯,૮૪૬ - ૩,૯૭૮/કીમી² - ૫,૦૮૦,૫૬૬(૭મો) |
મેયર | કાનાજી ઠાકોર |
કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૮૦ ૦XX - +૦૭૯ - GJ-1 |
અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ નગર છે અને ભારતનું સાતમા ક્ર્મનું શહેર છે. અમદાવાદમાં આશરે બાવન લાખ (૫૨,૦૦,૦૦૦) લોકો રહે છે. સાબરમતી નદી ના કિનારે સ્થિત આ શહેર અમદાવાદ જિલ્લા નું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્ય નું પાટનગર પણ રહી ચુક્યુ છે, જેના પછી ગાંધીનગર શહેર ને પાટનગર બનાવવા માં આવ્યુ. આ શહેર ને કર્ણાવતી પણ કહેવાય છે. કર્ણાવતી એ અમદાવાદ ની જગ્યા એ સ્થિત એક શહેર હતું.
અંગ્રેજી શાસન માં અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયુ. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસી નો એક ભાગ બનાવવી દેવા માં આવ્યું, પણ અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશ નુ એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતુ અને તેને ‘’માંચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’’ નામ આપવામાં આવ્યું.
અનુક્રમ |
[ફેરફાર કરો] ઇતિહાસ
આશરે સન્ ૧૦૦૦-૧૧૦૦ દરમિયાન સિદ્ધરાજ જયસિંહના પિતા અને ભીમદેવ સોલંકી ના પુત્ર કર્ણદેવે સાબરમતીના તીરે 'કર્ણાવતી' શહેર વસાવ્યું હતું. ત્યારે ગુજરાતના ચૌલુક્ય વંશસોલંકી રાજ્યનું પાટનગર અણહીલવાડ પાટણ હતું અને કર્ણાવતી નાનું શહેર હતું.
સન્ ૧૪૧૧ માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી શહેરની પસંદગી કરી. તેનું નામ બદલાવીને તેને 'અહમદાબાદ' તરીકે જાણીતું કર્યુ. સમય જતાં તે અપભ્રંશ થઇને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું.અમદાવાદની સ્થાપના વિશે એક દંતકથા એમ પણ છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યુ. અને એટલે જ આ પંક્તિનો ઉદ્ભવ થયો કે "જબ કુત્તે પે સસ્સા આયા,તબ બાદશાહને શહર બસાયા"
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલ્સને લીધે અમદાવાદ પૂર્વનું 'માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦ થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે, સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર (political capital) અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર (economical capital) કહેવામા આવે છે.
ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર જે સાબરમતી નદીની પૂર્વ દિશામાં વસેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદઅવાદ શહેર ઈતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના તીરે સ્થાપેલો ગાંધી આશ્રમ.
આગામી વર્ષૉમાં સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાશે.તથા આ જિલા મ હાલમા બિઆરટિએસ સુવિધા નો લાભ આપવાનુ રાજ્ય સરકાર વિચારી રહી છે.જેના લીધે શહેરની રોનક બદલાઇ જશે.
[ફેરફાર કરો] હવામાન
અમદાવાદ પશ્ચિમ ભારતમાં આવેલ ગુજરાત રાજ્યમાં સ્થિત છે. તે ૫૩ મીટર ની ઊંચાઈ પર આવેલુ છે. અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલુ છે. શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં છે. શહેરમાં બે તળાવ પ્રખ્યાત છે – કાંકરિયા તળાવ અને વસ્ત્રાપુર તળાવ. બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવનું કામ ચાલુ છે. નરૉડામાં પણ તળાવ બનશે.
અમદાવાદમાં ત્રણ ઋતુ જોવામાં આવે છે. ઉનાળો, શિયાળો અને વર્ષા ઋતુ. અમદાવાદની ગરમી અસહ્ય છે. વરસાદ પણ હમણાથી વધારે પડે છે.
[ફેરફાર કરો] મહત્વ
- સરદાર પટેલે અમદાવાદથી જ રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું.
- મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે (કોચરબ) આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે. અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
- ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ અમદાવાદ માં કરી.
- ડો. વિક્રમ સારાભાઇ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઇ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક પ્રયોગ શાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાઇ.
- કસ્તુરભાઇ લાલભાઇ અને લાલભાઇ દલપતભાઇ જેવા ઉદ્યોગપતિઓ ના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં એલ.ડી. એન્જીનીયરીંગ અને એલ.ડી. આર્ટસ્ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
- ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ્ ઓફ્ કોમ્યુનિકેશન એન્ડ્ ઇન્ફ્ર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા રીસર્ચ સેન્ટર પણ અમદાવાદમાં આવેલ છે.
[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો
- ગાંધી આશ્રમ
- સરદાર પટેલ, સ્મારક ભવન
- કાંકરિયા તળાવ
- હઠીસિંહ ના દેરા
- અડાલજ ની વાવ
- સીદીસૈયદ ની જાળી
- ઝૂલતા મિનારા
- ઈસરો
- ઇસ્કોન મંદિર
- સ્મૃતિ મંદિર, ઘૉડાસર
- વૈષ્ણોદેવી મંદિર
- એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ ઞુરુકુળ
- નળ સરોવર
ગુજરાતનાં જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |