ઇસ્કોન મંદિર
વિકિપીડિયા થી
ઇસ્કોન મંદિર; હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ |
ઇસ્કોન મંદિર કે જે હરે કૃષ્ણ મંદિર તરીકે પણ જાણીતું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા ૧૭મી એપ્રિલ ૧૯૯૭ ના રોજ રામ નવમીના પવિત્ર દિવસે કરવામા આવી હતી ત્યારથી આ મંદિર અમદાવાદની ધર્મિક અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિરનુ ખરૂ નામ તો શ્રી શ્રી રાધા ગોવિદ ધામ છે. મંદિર નુ ગર્ભગૃહ ૩ ખંડોમા વહેચાયેલુ છે જેમા પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ગૌર નિતાઇ (શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ), શ્રીલ પ્રભુપાદ અને તેમના ગુરૂ મહારાજ શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતિ ગોસ્વામમિના વિગ્રહો છે, બીજુ અને મંદિરનુ મુખ્ય ગર્ભગૃહ શ્રી શ્રી રાધા ગોવિંદજી, શ્રી શ્રીનાથજી અને શ્રી શ્રી પ્રહ્લાદ-નરસિંહ થી શોભે છે અને ત્રીજા ગર્ભગૃહમાં શ્રી શ્રી સીતા-રામ, લક્ષ્મણ અને હનુમાન બીરાજે છે. મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાનાં નમુના રૂપ છે જેમાં મુખ્ય મંડપનાં ગુબજમાં શ્રી કૃષ્ણ રાસલીલાનું આલેખન વિશેષ ધ્યાન ખેચે છે.
[ફેરફાર કરો] ઇતિહાસ
ઇસ્કોન (આંતર-રાષ્ટ્રિય કૃષ્ણ ભાવનામૃત સંઘ)- en:ISKCON (International Society for Krishna Conciousness)ની સ્થાપના ઇ.સ. ૧૯૬૬માં ન્યૂ યોર્ક શહેરમાં એ.સી. ભક્તિ વેદાંત સ્વામિ એ કરી જે તેમના અનુયાયીઓને કારણે લોકોમાં શ્રીલ પ્રભુપાદ તરીકે જાણીતા છે. શ્રીલ પ્રભુપાદ મૂળ કલકત્તાના વતનિ હતા જેમણે તેમની પાછલી ઉંમરે પોતાના ગુરૂની આજ્ઞા પાલન કરવા માટે વિદેશ પ્રયાણ કર્યું અને અમેરિકામાં શરૂઆતમા થોડા ગોરા ભક્તો બનવ્યા. તે સમયે પાશ્ચાત્ય જગતમાં હીપ્પી સન્સ્કૃતિ ફેલાઇ રહી હતી જેને કારણે ઘણા લોકોએ શ્રીલ પ્રભુપાદના આ હરે કૃષ્ણ આદોલનને હીપ્પી ચળવળનો ભાગ સમજ્યું અને આ ગેર માન્યતાને વધુ વાચા આપી તે સમયે બનેલી એક ફીલ્મના 'દમ મારો દમ ....' ગીતે.
[ફેરફાર કરો] પૃષ્ઠભૂમિ
અમદાવાદમાં ઇસ્કોનની શરૂઆત ૭૦ના દાયકાથી થઇ જે દરિયાપુરમાં એક ઘરમા શ્રી જશોમતિનંદન દાસ દ્વારા કરવામા આવી હતી. શ્રી જશોમતિનંદન દાસ સુરતના વતનિ છે જેઓ ભારતમાં ઇજનેરી નો અભ્યાસ કરી અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા હતા અને ત્યાજ તેઓ શ્રીલ પ્રભુપાદના સંપર્કમા આવ્યા અને તેમના અનુયાયી બન્યા. તેઓ ગુજરાતી હોવાને નાતે તેમના ગુરુ મહારજે તેમને ગુજરાતમાં કૃષ્ણ નામ નો પ્રચાર કરવા કહ્યુ અને અમદાવાદ ને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યુ. હાલમા જે મદિર છે તે પહેલા ઇસ્કોન ના કેન્દ્રો દરિયાપૂર, ઓઢવ, આશ્રમ રોડ અને હાલના મદિરની પાછળના ભાગે આવેલા સાદા મકાન (જ્યા હજુ પણ શ્રી શ્રી ગૌર નિતાઇના કાષ્ઠ વિગ્રહો બીરાજે છે)મા ચાલતા હતા.
[ફેરફાર કરો] પ્રવૃત્તિ