નિષ્કુળાનંદ સ્વામી
વિકિપીડિયા થી
નિષ્કુળાનંદ સ્વામી ગુજરાતી ભાષાનાં સિધ્ધહસ્ત કવિ હ્તાં. આ કવિવર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયી હ્તાં તેથી તેમની રચનાઓ ભક્તિપ્રધાન છે. તેમની 'ત્યાગ ન ટકે રે વૅરાગ્ય વિના, કરિએ કોટી ઉપાયજી" આશ્રમ ભજનાવલિમાં નોંધાયુ છે. ગાંધીજીનુ આ પ્રિય ભજન હતું. કવિવરની અનેક ભજન રચનાઓ આજે પ્રત્યેક મંદિરોમાં ખુબજ પ્રેમથી ગવાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ કવિ ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. વૈરાગ્યપ્રધાન જીવનની અસર તેમની કૃતિઓમાં પણ જણાય છે. વૈરાગ્યપ્રધાન જીવન છતાં "સ્નેહગીતા" ભક્તિ અને શણગાર રસનું અદ્ભુત વર્ણન કવિની આગવી પ્રતિભાનો પુરાવો છે.તેમની નાની મોટી ૨૪ જેટલી રચનાઓ "નિષ્કુલાનંદ કાવ્ય"નાં નામથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ, ભુજ, અમદાવાદ, વડોદરા, સુરત વિગેરે મંદિરો દ્વારા પ્રકાશિત થઇ છે. તેમની કાવ્ય રચનાઑ -ભજનો "નિષ્કુલાનંદ કાવ્ય કીર્તન"નાં નામથી પ્રસિદ્ધ થયાં છે. આ કવિવરનાં જીવન-કવન પર શોધગ્રંથ પણ લખવામાં આવ્યો છે.
[ફેરફાર કરો] પ્રસિદ્ધ રચનાઓ
|
|
|
|
આ પ્રત્યેક રચનાઓ પર શોધ ગ્રંથ લખી શકાય. જો શોધકર્તાઓને અનુકુળ આવે તો સરળ અને ખુબ જ સારા પ્રમાણમાં ઉપયોગી માહિતિ સાથેનો આ વિષય છે.
[ફેરફાર કરો] જીવન કવન
કવિવર નો જન્મ જામનગર જીલ્લાનાં શેખપાટ ગામમાં થયો હતો. તેઓશ્રી વિક્રમ સંવત ૧૮૨૨ મહા સુદ -૫ વસંત પંચમીનાં દિવસે સુથાર જ્ઞાતિમાં જન્મ લઇ આ ધરાને પાવન કરી. તેમનાં પિતાશ્રીનું નામ રામજી અને માતાનું નામ અમ્રુતાબા હતું. તેમનું દિક્ષા પહેલાનું નામ લાલજી હતું. કવીષ્વર દલપતરામ અને નિષ્કુલાનંદજી નો મિલાપ ધોલેરામાં થયેલો અને આ મુલાકાતને દલપતરામે બુદ્ધિપ્રકાશમાં લેખ લખીને ઇતિહાસ ઘટના બનાવી દીધી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં તમામ કવિઓમાં નિષ્કુળાનંદજી આગવી વિષેશતા ધરાવતાં કવિ માનવામાં આવે છે, કારણ કે તેમણે અક્ષરજ્ઞાન નહોતું લીધું છતાં આટલુ વિરાટ સાહિત્ય આ સંપ્રદાયને આપ્યું છે. આ કવિને દિક્ષા આપીને તુરંત ભગવાન સ્વામિનારાયણ ગ્રંથ રચવાની આજ્ઞા આપે છે, ત્યારે આ કવિવર "કાળા અક્ષર કુહાડે માર્યા" ઍમ કહ્યું ત્યારે ભગવાને કહ્યું લખવા માંડો તમારી કલમમાં અમે લખીશું, આ સાથે કવિએ લખવાની શરુઆત કરી. તેમની પ્રથમ કૃતિ યમદંડ છે. સર્વ શ્રેષ્ઠકૃતિ "ભક્તચિંતામણી " અને "પુરુષોત્તમ પ્રકાશ" છે.
આજીવન ગ્રંથ પ્રણયનની સાથે તેમણે કાષ્ઠકલાક્ષેત્રે પણ સંપ્રદાયની અમુલ્ય સેવા કરી છે. શિલ્પકલાનાં તેમના વિજ્ઞાનનાં દર્શન ધોલેરા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં થાય છે. ત્યાં આજે પણ કવિ દ્વારા કંડારાયેલી કમાનો જોવા મળે છે. આ જ મંદિરમાં સેવા કરતાં કરતાં વિ.સં. ૧૯૦૯માં પંચભૌતિક શરીરનો ત્યાગ કરિને પ્રભુજીની સેવામાં પધાર્યા. તેમની કીર્તિકાયા અજર અમર છે.