જુનાગઢ
વિકિપીડિયા થી
શ્રી કૃષ્ણનાં લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનુ જુનાગઢ સંત સતી અને શુરવીરોના ઐતિહાસીક શહેરને ગિરનાર નો આશ્રય મળેલો છે. મુચકન્દ રાજાના હસ્તે કાલયૌવન(કલ્યવાન) નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહિંયા પધારે છે. ત્યાં પવીત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના મહારાજા સમ્રાટ અશોકનો શીલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રી મહાપ્રભુજી અહિ પધારે છે. અહિ ભગવત ચીંતન અને પારાયણ કરે છે.તથા છપૈયા થી શ્રી નિલકંઠવર્ણી મહરાજ અહિ પધારે છે અને સંત શ્રી રામાનંદ સ્વામિ ને ગુરુ ધારણ કરે છે તથા સહજાનંદ સ્વામિ નામ ધારણ કરે છે. શ્રી નરસિંહ મહેતા તથા શ્રી રામાનંદ સ્વામિ જેવા સંતો, શ્રી રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શુરવીરો આ ધરતીના અમુલ્ય માનવ રત્નો છે. રાનવઘણે પોતાની ધર્મની બહેન ની રક્ષા માટે સિન્ધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુધ્ધ લડી ને વિજય મેળવ્યો હતો.
કોર્પોરેટ વીશ્વ ની એક ધુરંધર હસ્તી ધીરુભાઇ અબાંણીએ અહી શ્રી સ્વામિ વિવેકાનંદ વિનય મદીંર શાળા મા અભ્યાસ કર્યો હતો.
[ફેરફાર કરો] જોવા લાયક સ્થળો
- ભીમકુંડ અને સૂરજ કુંડ ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.
- કપિલધારા કુંડ અને કમંડલ કુંડ સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.
- સીતા કુંડ અને રામ કુંડ હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં ‘સીતા કુંડ’ અને ‘રામ કુંડ’ આવેલા છે.
- રેવતી કુંડ પૌરાણિક કથા અનુસાર શાપ પામવાથી રેવતી નક્ષત્ર પૃથ્વી પર પડ્યું. ત્યાં મોટો ખાડો થઈ ગયો. તેમાંથી કન્યા ઉત્પન્ન થઈ તેનું નામ રેવતી રાખ્યું. પ્રમુખ ઋષિએ તેને પાળી-પોષી મોટી કરી ને એમણે ફરી રેવતી નક્ષત્રને આકાશમાં સ્થાપ્યું. બીજા જન્મમાં એ રેવતીનાં લગ્ન બલરામ સાથે થયાં. રેવતી-બલરામ ગિરનારની યાત્રાએ આવ્યાં ત્યારે ગર્ગ ઋષિના કહેવાથી તેમણે આ કુંડનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારથી એને ‘રેવતી કુંડ’ કહે છે.