શ્રીમદ્ વલ્લભાચાર્ય
વિકિપીડિયા થી
શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ ધર્મના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, જેમનો જન્મ ભારદ્વાજ ગોત્રી, એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેર ચંપારણ્યમાં સને ૧૪૭૯, સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા સખ્ત આઘાત સાથે શમી વૃક્ષની ગોખમાં મૂકી, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં.
સવાર થતાં માતા-પિતા બાળકની સંભાળ લેવા ગયાં ત્યારે આશ્ચર્ય સાથે જોયું કે બાળક જમણા પગનો અંગૂઠો મુખમાં મૂકી આનંદ સાથે ચૂસી રહ્યો હતો. ત્યાંથી કાશી જઈ હનુમનાઘાટ પર વસ્યા અને બાળકનું નામ ‘વલ્લભ’ પાડવામાં આવ્યું.
૧૧ વર્ષની ઉંમરે પિતાનો સ્વર્ગવાસ થયો. તેમને જીવનમાં ઉદાસીનતા ધેરી વળી અને તેમનું મન ભગવદ્ભકિત તરફ વઘ્યું. કહેવાય છે કે વૃન્દાવનમાં તેમની ભકિતથી પ્રસન્ન શ્રીકૃષ્ણ ભગવાને પ્રગટ થઈ બાળગોપાલ સ્વરૂપની ઉપાસના કરવાની આજ્ઞા કરી અને ઉપાસનાનો આરંભ કર્યો અને નવો સંપ્રદાય સ્થાપો. ફકત ૧૩ વર્ષની ઉંમરે વેદ, વેદાંગ, પુરાણોથી ધર્મશાસ્ત્રમાં પૂર્ણતા પ્રાપ્ત કરી અને અનેક વિદ્વાનસભાઓમાં સક્રિય ભાગ લેતા થયા.
શાસ્ત્રાભ્યાસમાં ડા તરી ‘તત્વાર્થ દીપનિબંધ’ નામે ગ્રંથ તૈયાર કર્યો. શ્રીમદ્ ભાગવત ગીતા, ઉપનિષદોમાં રહેલા ‘શુદ્ધાદ્વેત’ સિદ્ધાંતને ભકત સમાજ સમક્ષ રજૂ કર્યો. તેઓએ વિરોધી મતવાદીઓને શાસ્ત્રાર્થમાં હરાવી આચર્યપદ પ્રાપ્ત કર્યું. તેઓ મોટાભાગે કાશી અને ગોકુલમાં રહેતા. તેમણે શ્રીમદ્ ભાગવત પર ‘સુબોધિની ટીકા’, વ્યાસસૂત્ર પર ‘ભાસ્ય’, ‘ગીતા’ પર ટીકા તથા બીજા અનેક ગ્રંથોની રચના કરી.
તેઓએ કેટલાય દિવસો સુધી ઉજજૈનમાં ક્ષિપ્રા નદીના કિનારા પર એક પીપાળાના ઝાડ નીચે નિવાસ કર્યો. તે સ્થાન આજે મહાપ્રભુજીની બેઠકના નામે પ્રસિદ્ધ છે. ગોંડલ પાસેની તેમની બીજી બેઠકો જાણીતી છે. જયાં જયાં તેઓએ ‘ભાગવત કથાઓ’ કરી તે સ્થાનો મહાપ્રભુની બેઠકના નામે જાણીતી છે.
શંકરવાદના દાર્શનિક સિદ્ધાંતો અને માયાવાદનું ખંડન કરી શુદ્ધ ભકિત મર્યાદા સ્થાપી. રાજા કòષ્ણદેવે તેમને આચાર્યપદેે સ્થાપિત કર્યા અને જે કંઈ ભેટસોગદો મળી તે કòષ્ણમંદિરમાં અર્પણ કરી. તેઓને વ્રજ અને ગોકુલની યાત્રા દરમિયાન ગોકુલમાં ગોવિંદઘાટ પર વિ.સં.૧૫૬૩ના શ્રાવણ સુદ એકાદશીએ મઘ્યરાત્રે ભગવાન શ્રીકòષ્ણનો સાક્ષાત્કાર થયો. આ બ્રહ્મસંબંધથી તેમને અપાર આનંદ થયો અને આથી પ્રભુના શરણાર્થીને ‘બ્રહ્મસંબંધ’ આપવાનું શરૂ કર્યું અને દીક્ષા લેનારને ‘શ્રીકૃષ્ણ શરણં મમ’નો મંત્ર આપતા.
યમુના કિનારે તેમણે ‘પુષ્ટિ સંપ્રદાય’ની સ્થાપના કરી. પુષ્ટિ એટલે ‘ભગવાનની કૃપા’ આ એમનો ઉપદેશનો મર્મ હતો. શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલી શ્રીકòષ્ણની લીલાઓ તેમને મન અખંડ અને પૂર્ણ લીલાઓ હતી. તેમણે ભાગવત પારાયણો યોજી ભકિતની સાર્થકતા સમાજને સમજાવી. તેમના જીવનમાં અનેક ચમત્કારો સર્જાયા છે. તેઓ કહેતા કે જે ભગવતદ્રવ્યનો ઉપયોગ પોતાના માટે કરશે તે નાશ પામશે. ભગવાનની કૃપાથી જીવનને પુષ્ટિ મળે છે, તે માટે લૌકિક કે વૈદિક કર્મફળનો ત્યાગ કરવો અનિવાર્ય છે.
શ્રી વલ્લભાચાર્યના ૮૪ વૈષ્ણવભકતો પ્રસિદ્ધ છે. તેમાંના આઠ મુખ્ય હતા, તેમાં ચાર કવિઓ ‘સૂરદાસ’, ‘કુંભનદાસ’, ‘કૃષ્ણદાસ’, અને ‘પરમાનંદદાસ’એ ભકિતમાર્ગનો ખૂબ પ્રસાર કર્યો. તેઓના બે પુત્રો ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી. મહાપ્રભુએ જીવનલીલા સંકલ્પ કાશીમાં હનુમાનઘાટ પર કર્યોઅને એક માસ મૌન ધારણ કરી ભકિતલીન બન્યા. અંતિમ દિવસોમાં સંન્યાસ લીધો.
આજ્ઞા માગવા આવેલા પુત્રોને શિષ્યોને પગના અંગૂઠાથી રેતીમાં શિક્ષાના સાડાત્રણ શ્લોક લખી પ્રભુના માર્ગે જોડાવાનો આદેશ આપ્યો. બાવન વર્ષની ઉંમરે સને ૧૫૩૨ (સં, ૧૫૮૭) અષાઢ સુદ બીજના દિવસે ગંગામાં પ્રવેશ કરી અદશ્ય થઈ ગયા.
થોડી ક્ષણો બાદ ત્યાં એક ઉજજવલ પ્રકાશ પ્રગટ થયો અને લોકોએ જોયું કે તે દિવ્ય શરીર ધારણ કરીને ઘ્ર્વલોકમાં ગમન કરી રહ્યા હતા. વૈષ્ણવજનોમાં ભકિતની શુદ્ધ નીતિ-રીતિ સમજાવી આઘ્યાત્મિક માર્ગમાં નવી ચેતના સંચાર કરી હતી. આજે દેશમાં અને વિશ્વમાં લાખો વૈષ્ણવો પુષ્ટિમાર્ગને પ્રભુનો માર્ગ સમજી શ્રદ્ધાપૂર્વક અને ભકિતપૂર્વક અનુસરી જીવનનું કલ્યાણ કરી રહ્યા છે.