ચંપારણ્ય
વિકિપીડિયા થી
વૃક્ષઘટાથી અત્યંત સુશોભિત વિરાટ વનરાજી વરચે પવિત્ર તીર્થક્ષેત્ર ચંપારણ્ય ધામ એ વૈષ્ણવોનું અતિપ્રિય ધાર્મિક સ્થાન છે. ચંપારણ્ય એ વૈષ્ણવોનું પ્રથમ નંદનવન છે. ચંપારણ્યને પુષ્ટિ ધર્મના પાયાનું સર્વપ્રથમ આધિદૈવિક ઐતિહાસિક ધાર્મિક તીર્થસ્થાન કહી શકાય. મઘ્યપ્રદેશ (હાલમાં છત્તીસગઢ રાજય)ના રાયપુર શહેરથી ૪૫ કિ.મી. દૂર વૃક્ષઘટાથી પરમ શોભાયમાન ચંપારણ્યના ગાઢ જંગલમાં વિ.સં.૧૫૩૫ના ચૈત્રવદી એકાદશીના મઘ્યાહ્ને મહાપ્રભુજીનું પ્રાકટય થયું. (એ જ દિવસ અને સમયે વ્રજમાં ગિરિરાજજી ઉપર શ્રીકૃષ્ણ રૂપ શ્રીનાથજી પ્રગટ થયા હતા.)
ચંપારણ્યમાં બેઠકજી મંદિર સંચાલિત ગૌશાળા તેમજ ત્રણ ધર્મશાળાઓ, તેમજ ભાવાત્મક યમુનાઘાટ આવેલો છે. તે ઉપરાંત ચંપેશ્વર મહાદેવજીનું મંદિર, તેની બાજુમાં શ્રીરામ-જાનકીનું મંદિર પણ આવેલું છે. આ મંદિરની એક અજૉડ વાત એ છે કે ઐતિહાસિક ધામ હોવા છતાં પણ, બેઠકજીની દીવાલો પર લખ્યા મુજબ, અહીં કોઇ પણ ન્યોછાવરની પ્રથા નથી. ઉપરાંત મહાપ્રભુજીના મંદિરમાં પણ રોકડ રકમ, સોનું, ચાંદી કે અન્ય ધાતુની વસ્તુ મૂકવાની મનાઇ છે.
ચંપારણ્ય તીર્થધામ આજે દેશવિદેશમાં ધાર્મિક સ્થળ તરીકે પ્રચલિત થયું છે. જે પોતાની ભવ્યતા માટે જાણીતું છે.
દિવ્યભાસ્કર[1] ના સંગ્રહમાંથી