પ્રેમાનંદ સ્વામી
વિકિપીડિયા થી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ હતા.તેઓ મુસલમાનનાં પરિવારમાં ઉછરેલા હતાં. ખુબ જ નાની ઉંમરથી સંત થઇ ગયેલાં.તેમનું શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમની એક રચના 'વંદુ સહજાનંદ રસરુપ, અનુપમ સારને રે લોલ" પર ભગવાન શ્રી સ્વામિનારાયણ આફરિન થઇને બોલી ઉઠેલાં કે આવી રિતે જેને ભગવાનનુ ચિંતન રહે છે તેને તો અમે આ સભામાં ષાષ્ટાંગ દંડવત કરીએ એમ થાય છે" કવિની પ્રેમભક્તિનું આનાથી વધું સારુ પ્રમાણ બીજું કયું હોઇ શકે?
કવિનાં જીવન-કવન પર હિન્દી અને ગુજરાતીમાં શોધ ગ્રંથો લખાયાં છે. તેમની રચનાઓ "પ્રેમાનંદ કાવ્યમ્"નાં નામથી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રકાશિત થઇ છે.