અંકલેશ્વર
વિકિપીડિયા થી
અંકલેશ્વર દક્ષિણ ગુજરાત ના ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે. અહીંથી મુંબઇ થી અમદાવાદ જતો રાષ્ટ્રિય ધોરી માર્ગ તેમ જ રેલ્વે માર્ગ પસાર થાય છે. વળી રાજપીપળા , હાંસોટ , વાલિયા , માંગરોળ , ડેડિયાપાડા , ઝઘડીયા , ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે.
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી ની થાય છે.