બલવન્તરાય ઠાકોર
વિકિપીડિયા થી
નામ
બલવન્તરાય કલ્યાણરાવ ઠાકોર
ઉપનામ
સેહની, બ.ક.ઠા.
જન્મ
23 - ઓક્ટોબર , 1869 ; ભરુચ
અવસાન
2- જાન્યુઆરી , 1952 ; મુંબાઇ
અભ્યાસ
* બી.એ. , મુંબાઇ
વ્યવસાય
* અધ્યાપન , મુંબાઇ
જીવન ઝરમર
* ઇતિહાસ અને તત્વજ્ઞાનના અધ્યાપક * પૂના, વડોદરા અને મુંબાઇમાં રહ્યા * પોચટ અને આંસુ સારતી કવિતા સામે વિરોધ ; ગુજરાતી કવિતાને લાગણીવેડા અને શબ્દાળુતાના માર્ગેથી પાછી વાળી * ઉર્મિ અને બુધ્ધિનો સમન્વય થાય એવા સોનેટના સ્વરૂપને ગુજરાતીમાં સ્થાન આપ્યું * પૃથ્વી છંદના ખાસ હિમાયતી
મુખ્ય રચનાઓ
* કવિતા - ભણકાર, નિરુત્તમા * સંશોધન/ વિવેચન - કવિતા શિક્ષણ, લિરિક, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પ્રવેશકો * વાર્તા - દર્શનિયું * નાટક - ઊગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય * સંપાદન - આપણી કવિતા, અંબડવિદ્યાધરરસ, વિક્રમચરિતરાસ, કાન્તમાળા * જીવન ચરિત્ર - અંબાલાલભાઇ * આત્મકથા - પંચોતેરમે * ડાયરી - દિન્કી * અનુવાદ - અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર, ગોપીહૃદય, વિક્રમોર્વશીયમ્, સોવિયેટ નવજુવાની
સન્માન
અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’ નો ખિતાબ