નિર્મિશ ઠાકર
વિકિપીડિયા થી
જન્મ
* 18 માર્ચ, 1960, કલોલ
કુટુંબ
* માતા – ભાનુમતીબહેન. પિતા – નંદુભાઈ * પત્ની – દીપ્તિ ( લગ્ન – 1987 ) : પુત્ર - નીરવ
અભ્યાસ
* ડી.એમ. ઈ.
વ્યવસાય
* ઓએનજીસીમાં ઓફિસર
જીવનઝરમર
* સોળ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. * શરૂઆતમાં ભારે સંઘર્ષ. નાની-મોટી નોકરી, સુરતના “ગુજરાત કેસરી”માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ * ઓએનજીસીમાં સામાન્ય પાયરીએ નોકરી મેળવી ઠેઠ ક્લાસ વન ઓફિસર સુધી પહોંચ્યા. * વ્યંગચિત્રકાર તરીકે નામના. તેમનાં કાર્ટૂન્સની પ્રશંસા આર. કે. લક્ષ્મણ દ્વારા પણ! * પુત્ર નીરવ નાની ઉંમરથી જ પિતાને પગલે. નીરવનાં કાર્ટૂન્સ અગ્રગણ્ય વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. * જાણીતી ગુજરાતી ગઝલો પરથી હાસ્ય સભર તઝમીનો બનાવેલી છે ! * પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘આપઘાત કે ખૂન’ - આ રહસ્યકથા બાલસાપ્તાહિક ઝગમગમાં પ્રકાશિત થઈ. તે વખતે નિર્મિશભાઈની ઉંમર માંડ તેરેક વર્ષની હતી!
શોખ
* તબલાવાદન
રચનાઓ
* હાસ્યલેખ સંગ્રહ - ટંકાર, લાઘવ ક્યાંય નથી ને કવનમાં, ત્રિશૂળ લીધું હાથમાં રે! * કવિતા - એ જ લિખિતંગ (પ્રતિકાવ્ય સહિત )