નિરંજન ભગત
વિકિપીડિયા થી
નિરંજન નરહરિભાઇ ભગત (જન્મ: ૧૮ મે ૧૯૨૬, અમદાવાદ) એ જાણીતા ગુજરાતી કવિ છે. તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કરેલ છે અને તેઓને ૧૯૫૩ અને ૧૯૫૭માં નર્મદચંદ્રક અને ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન છે.
તેમનું સર્જન નીચે પ્રમાણે છે.
- કાવ્યસંગ્રહો - છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ - સમગ્ર કવિતા
- વિવેચન - કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક - અનેક ભાગ
- અનુવાદ - ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
- સંપાદન - પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
- ધાર્મિક - યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
- તંત્રી - ગ્રંથ, સાહિત્ય