નાનાભાઇ ભટ્ટ
વિકિપીડિયા થી
નામ
નૃસિંહ પ્રસાદ કાળીદાસ ભટ્ટ
જન્મ
નવેમ્બર 11, 1882 - ભાવનગર
અવસાન
ડિસેમ્બર 31, 1961
અભ્યાસ
* એમ. એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે - શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય
* અધ્યાપન
જીવન ઝરમર
* 1904 - મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ * 1906-10 - શામળદાસ કોલેજમાં અધ્યાપક * 1910 - ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના * 1925-28 - ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક * 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ * 1938 - આંબલા - (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના * 1948 - સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન * 1953 - સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના * 1954-57 - રાજ્યસભાના નિયુક્ત સભ્ય * 1924 -આફ્રિકા, 1935 - જાપાન, 1954 - ડેન્માર્ક ની મુલાકાત * હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા
મુખ્ય રચનાઓ
* ઇતિહાસ - આપણા દેશનો ઇતિહાસ * ચરિત્ર - હજરત મહંમદ પયગંબર, મહાભારતનાં પાત્રો - ’લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ , રામાયણનાં પાત્રો - ’લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ * શિક્ષણ - સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત; * પ્રવાસ વર્ણન - આફ્રિકાનો પ્રવાસ * ધાર્મિક - હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ - 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે? * વાર્તા - દૃષ્ટાંત કથાઓ 1,2 * શિક્ષણ - ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર - 1,2 ; સંસ્થાનું ચરિત્ર * ચિંતન - પથારીમાં પડ્યાં પડ્યાં
સન્માન
1960 - ભારત સરકાર તરફથી પદ્મશ્રી