નવસારી
વિકિપીડિયા થી
ભારત દેશના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનું મુખ્યમથક નવસારી છે. ગાયકવાડી રાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
નવસારી શહેર દિલ્હી - મુંબઇ રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર આવેલું છે. વળી નવસારી શહેર બારડોલી, સુરત, મહુવા, ગણદેવી, અબ્રામા જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર અમદાવાદ - મુંબઇ બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આ શહેરમાં દુધિયા તળાવ, જુના થાણા, ટાવર, છાપરા રોડ, કાલિયાવાડી, ગ્રીડ, દાંડી રોડ જેવા વિસ્તારો આવેલા છે.
અહિ ના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી નો છે,સાથે સાથે પશુપાલન અને મરઘા પાલન પણ્ કરે છે,
દર છ કુટુમ્બ દીઠ એક કુટુમ્બ ની વ્યક્તિ વિદેશમા સ્થાયી થયેલ છે. અહિ મુખ્યત્વે હિન્દુ, મુસ્લિમ્, પારસી, જૈન, થોડા પ્રમાણ્ મા શીખ્ અને ઇસાઇ લોકો પણ રહે છે, પેટા ગ્નાતિ મા માહ્યાવન્શી, કોળી, દુબળા, આહીર્ ભરવાડ્, કણબી પટેલ્, અનાવીલ્, સુથાર્, લુહાર્, દરજી, કુમ્ભાર્,વાળન્દ્,ધોબી, વગેરે લોકો શાન્તીથી રહીને પોતાનો વ્યવસાય કરે છે.