ધોળાવીરા
વિકિપીડિયા થી
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતીનૂ નગર છે. કચ્છના ખડીર વિસ્તાર માં આવેલ છે. આ સંસ્કૃતી પાંચ હજાર વર્ષ જુની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી, વગેરે જોવા જેવું છે.
અનુક્રમ |
[ફેરફાર કરો] પાણીની વ્યવસ્થા
[ફેરફાર કરો] પ્રવેશ દ્ભાર
એક પ્રવેશ દ્ભારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડેલ હશે અને આપણાં પૂર્વજોમાંથી કોઈકે એને સભાળી બાજુમાં રાખેલ હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે. શું નગરનું નામ લખેલ છે? પ્રાંત અધિકારીનું નામ હશે? ના, ના, લાગે છે નગરજનોનું સ્વાગત કરવામાં આવે છે.
[ફેરફાર કરો] અન્ય
અહીં જે હાડકા અને અન્ય ચીજ ભસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્ની સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.
[ફેરફાર કરો] ધર્મ સ્થળ
આખા નગરમાં ધર્મ સ્થળ જેવું કાંઈજ મળેલ નથી. એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળેલ છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.
[ફેરફાર કરો] નગરની બાંધણી
મોંહે જો દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્ભારા બાંધકામ કરવામાં આવેલ છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલ છે અને પત્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલ છે.