કલાપી
વિકિપીડિયા થી
નામ
* સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ
ઉપનામ
* કલાપી
જન્મ
* 26 જાન્યુઆરી - 1874, લાઠી
અવસાન
* 9 જૂન - 1900, લાઠી
કુટુંબ
* પત્ની o રમાબા ઉર્ફે રાજબા - રૂહા, કચ્છનાં કુંવરી (1889 - 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા o આનંદીબા ઉર્ફે કેસરબા - કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (1889 - 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા o શોભના - રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (1898) ; એમનાંથી 7-8 વર્ષ નાના
અભ્યાસ
* 1882-1890 રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી * અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
વ્યવસાય
* 1895- લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી
પ્રદાન
* પ્રજાત્સલ રાજવી * ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું * પ્રવાસ લેખન
મુખ્ય કૃતિઓ
* કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય ) * વર્ણન - કાશ્મીરનો પ્રવાસ * નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર
જીવન
* 21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895) * નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા * માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા * આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી * રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો * શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર * વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા * સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર * 16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ) * મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે; * મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે. * 26 વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
સન્માન
* ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક * એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ - ગઝલ માટે * 1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી